Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં ભડકો, જાણો એક તોલા સોનાનો આજનો ભાવ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજ સવારના સમયે સોના ચાંદીના  ભાવમાં ઉછાળો જોવા મળ્યો. લેટેસ્ટ ભાવ પર નજર ફેરવીએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 50865 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ એક કિલોએ 53627 રૂપિયા થયો છે. 

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં ભડકો, જાણો એક તોલા સોનાનો આજનો ભાવ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજ સવારના સમયે સોના ચાંદીના  ભાવમાં ઉછાળો જોવા મળ્યો. લેટેસ્ટ ભાવ પર નજર ફેરવીએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 50865 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ એક કિલોએ 53627 રૂપિયા થયો છે. 

અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ મંગળવાર સવારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 50661 રૂપિયા જોવા મળ્યો. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું આજે મોંઘુ થઈને 46592 રૂપિયા થયો. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળું સોનું 38149 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 585 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે મોંઘુ થઈને 29756 રૂપિયે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત 999 પ્યોરિટીવાળી ચાંદી 53627 રૂપિયે કિલો વેચાઈ રહી છે. 

સોના ચાંદીના ભાવમાં શું થયો ફેરફાર?
સોના અને ચાંદીના ભાવમાં રોજેરોજ ફેરફાર થાય છે. આજે ભાવ વધ્યા છે. 999 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 95 રૂપિયા વધારો થયો છે. જ્યારે 995 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 94 રૂપિયા, 916 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 87 રૂપિયા, 750 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 71 રૂપિયા, અને 585 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 55 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. એક કિલો ચાંદીના ભાવમાં 264 રૂપિયા વધારો થયો છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

ખાસ નોંધ: ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન વેબસાઈટ પર જણાવ્યાં મુજબ આ ભાવમાં GST/VAT સામેલ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More