Home> Business
Advertisement
Prev
Next

Crorepati Tips: બચતની આ એક ફોર્મ્યૂલા સમજી લેશો તો... કરોડપતિ બનવા વાર નહીં લાગે

જો તમે પણ કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા બચત કરતા શીખવું પડશે. અહીં જાણો બચતની તે ફોર્મ્યૂલા જે તમને થોડા સમયમાં કરોડપતિ બનાવી શકે છે. 
 

Crorepati Tips: બચતની આ એક ફોર્મ્યૂલા સમજી લેશો તો... કરોડપતિ બનવા વાર નહીં લાગે

નવી દિલ્હીઃ પોતાની ક્ષમતા અને ટેલેસ્ટ પ્રમાણે દરેક કામ કરે છે અને પૈસા કમાઈ છે. પરંતુ તમામ લોકો એવા હોય છે, જે પોતાની કમાણીમાંથી ઘણા પૈસા બચાવી પોતાના ભવિષ્યને સુરક્ષિત કરે છે. તો કેટલાક લોકો એવા છે, જેની આવક તુરંત ખર્ચ થઈ જાય છે. તેવામાં તેણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી બચત કરવાની રીત દરેકે સમજવી જરૂરી છે કારણ કે જો તમે પદ્ધતિસર બચત કરો તો કરોડપતિ પણ બની શકો છો. 

આ એક ફોર્મ્યૂલા થશે મદદરૂપ
સૌથી પહેલાં તો તમારે દર મહિને બચત કરવા માટે એક નિયમ બનાવવો પડશે અને તેને કોઈપણ સ્થિતિમાં પૂરો કરવાની આદત પાડવી પડશે. તે માટે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. બચતના મામલામાં એક ફોર્મ્યૂલા છે, જેને દરેકે ફોલો કરવી જોઈએ. આ ફોર્મ્યૂલા છે 50:30:20 નો નિયમ. આ નિયમ પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાની આવકના 50 ટકા જરૂરી ખર્ચ માટે કાઢવા જોઈએ. 30 ટકા પોતાના અને પરિવારના શોખ કે તે ખર્ચ માટે જેને તમે ઘણીવાર રૂપિયાની મુશ્કેલીને કારણે ટાળી દો છો અને 20 ટકા કોઈપણ સ્થિતિમાં બચત કરવી જોઈએ.

આ પણ વાંચોઃ Atal Pension Yojana: માત્ર 210 રૂપિયા જમા કરાવીને મેળવો 5000 રૂપિયાનું પેન્શન

ઉદાહરણ સમજો
ધારો કે તમે નોકરી કરો છો અને દર મહિને 60 હજાર રૂપિયા કમાઓ છો. આવી સ્થિતિમાં તમારે ઘરનો જરૂરી ખર્ચ 50 ટકા એટલે કે 30,000 રૂપિયામાં સેટલ કરવો જોઈએ. 30 ટકા એટલે કે રૂ. 18,000 અન્ય ઘરના ખર્ચાઓ જેમ કે મેડિકલ ખર્ચ, અથવા લાંબા સમયથી પેન્ડિંગ હોય તેવા કોઈપણ કામ પર અથવા તમારા શોખ અથવા પરિવારની માંગણીઓ પૂરી કરવા માટે ખર્ચવા જોઈએ. તમારે તમારી વિવેકબુદ્ધિથી સમજવું પડશે કે આ 30% અને 20%નું શું કરવું એટલે કે 12,000 રૂપિયા કોઈપણ કિંમતે બચાવવા જોઈએ. સામાન્ય રીતે કહીએ તો, 60,000 માંથી ફક્ત 12,000 તમારા દ્વારા બચાવવાના છે. બાકીના 48,000 થી તમે તમારું મહત્વપૂર્ણ અને બિનજરૂરી કામ કરી શકશો. આ તમારું પોતાનું સંચાલન હશે.

કરોડપતિ બનવા માટે ક્યાં કરશો રોકાણ
હવે સવાલ થાય છે કે તેને રોકાણ કરવામાં આવે તો તમે કરોડપતિ બની શકો. આમ તો આજે રોકાણની અનેક સ્કીમ્સ છે, પરંતુ આજના સમયમાં એસઆઈપીને રોકાણની દ્રષ્ટિએ સારૂ માનવામાં આવે છે. પરંતુ આ સ્કીમ માર્કેટથી લિંક્ડ છે, પરંતુ તેમાં પણ સારો નફો મળી શકે છે. ઘણા એક્સપર્ટ માને છે કે એસઆઈપીમાં એવરેજ 12 ટકાનો નફો થાય છે જે કોઈ અન્ય સ્કીમમાં મળતો નથી. તો માર્કેટથી લિંક્ડ હોવાને કારણે ઘણીવાર નફો વધારે પણ થાય છે. કમ્પાઉન્ડિંગનો ફાયદો મળવાને કારણે પૈસા ઝડપથી વધે છે. તમે પણ લાંબા સમય માટે રોકાણ કરો તો જરૂરથી મોટો ફાયદો થશે. 

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ ઉપરાંત પેટ્રોલ પંપ પર મળશે આ ખાસ વસ્તુ, તમે જાણશો તો દિલ ખુશ થઈ જશે

કઈ રીતે બનશો કરોડપતિ
ધારો કે તમે દર મહિને SIPમાં 12,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમારું વાર્ષિક રોકાણ 1,44000 રૂપિયા થશે. જો તમે આ રોકાણને સતત 20 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમારું કુલ રોકાણ રૂ.28,80,000 થશે. જો તમે 12 ટકા રિટર્ન જુઓ તો તમને 91,09,775 રૂપિયા વ્યાજ તરીકે મળશે અને આ રીતે 20 વર્ષ પછી તમને 1,19,89,775 રૂપિયા મળશે. બીજી તરફ, જો તમે આ રોકાણ 19 વર્ષ સુધી ચાલુ રાખશો તો પણ તમારી પાસે કરોડોનું ભંડોળ એકઠું થશે. 19 વર્ષમાં તમને SIP દ્વારા 1,05,03,905 રૂપિયા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More