Home> Business
Advertisement
Prev
Next

બજેટ 2019-20: વિમામાં છૂટની જાહેરાત કરી શકે છે નિર્મલા સીતારમણ- સૂત્ર

નાણાકીય વર્ષ 2019-20નું સામાન્ય બજેટ આ અઠવાડિયે પાંચ જુલાઇના રોજ રજૂ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે બજેટમાં હોમ ઇંશ્યોરન્સ સાથે સંકળાયેલી રાહત શક્ય છે. હોમ ઇંશ્યોરન્સના પ્રીમિયમમાં ઇનકમ ટેક્સ છૂટ મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇંશ્યોરન્સ છૂટ અલગ સેક્શનની જાહેરાત શક્ય છે. હેલ્થ, હોમ અને લાઇફ ઇંશ્યોરન્સ માટે છૂટનું એક અલગ સેક્શન પણ હોઇ શકે છે.

બજેટ 2019-20: વિમામાં છૂટની જાહેરાત કરી શકે છે નિર્મલા સીતારમણ- સૂત્ર

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2019-20નું સામાન્ય બજેટ આ અઠવાડિયે પાંચ જુલાઇના રોજ રજૂ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે બજેટમાં હોમ ઇંશ્યોરન્સ સાથે સંકળાયેલી રાહત શક્ય છે. હોમ ઇંશ્યોરન્સના પ્રીમિયમમાં ઇનકમ ટેક્સ છૂટ મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇંશ્યોરન્સ છૂટ અલગ સેક્શનની જાહેરાત શક્ય છે. હેલ્થ, હોમ અને લાઇફ ઇંશ્યોરન્સ માટે છૂટનું એક અલગ સેક્શન પણ હોઇ શકે છે.

સૂત્રોનું કહેવું છે કે હેલ્થ, લાઇફ ઇંશ્યોરન્સના તર્જ પર ઇંશ્યોરન્સ પ્રીમિયમ પર છૂટ મળી શકે છે. અલગ સેક્શન અથવા ઇનકમ ટેક્સમાં 80D ની લિમિટ વધારીને છૂટ આપી શકે છે. સરકાર અફોર્ડેબલ હોમ ઇંશ્યોરન્સ પર પણ વિચાર કરી શકે છે.

ઐતિહાસિક ટેક્સ સુધારો GST ને પુરા થયા બે વર્ષ, આજથી થશે બીજા ફેરફાર

ઓડિશા, કેરલ, ચેન્નઇમાં પૂરમાં ઘણુ નુકસાન થયું છે. એવામાં કુદરતી આપત્તિઓના નુકસાન પુરા કરવામાં મદદ મળશે. હોમ ઇંશ્યોરન્સનું ભારતમાં ખૂબ ચલણ છે. આપત્તિ, દુર્ઘટનાના જોખમનો સામનો કરવામાં મદદ મળશે.

જો એવું હોય તો આ લિસ્ટેડ કંપનીઓનો ફાયદો થઇ શકે છે
- ICICI LOMBARD 
-NEW INDIA ASSURANCE 
-GIC RE 
-TOP BAND

સૂત્રોનું કહેવું છે કે હોમ ઇંશ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ છૂટ મળી શકે છે. બજેટમાં હોમ ઇંશ્યોરન્સ સાથે જોડાયેલી છૂટની જાહેરાત થઇ શકે છે. કુદરતી આપત્તિઓના નુકસાનમાં હોમ ઇંશ્યોરન્સ મદદગાર છે. ઇંશ્યોરન્સ સાથે સંકળાયેલી છૂટનું અલગ સેક્શન હોઇ શકે છે. હોમ ઇંશ્યોરન્સ પ્રીમિયમમાં ટેક્સ છૂટ શક્ય છે. પૂરમાં થયેલા નુકસાનમાં મદદગાર સાબિત થઇ શકે છે. હોમ ઇંશ્યોરન્સની ડિમાંડ વધવાની આશા છે. એફોર્ડેબલ પર પણ વિચાર કરવામાં આવી શકે છે. 

Amazon નો પ્રાઇમ સ્પેશિયલ સેલ 15-16 જુલાઇએ, 1000થી વધુ નવી પ્રોડક્ટ કરશે લોન્ચ

બજેટ પહેલાં બજાર 'વેઇટ એન્ડ વોચ'ના માર્ગે: વિશેષજ્ઞ
વિશ્લેષકોનું માનવું છે કે આગળ જતાં શેર બજારની દિશા સામાન્ય બજેટથી નક્કી થશે. બજેટ પહેલાં રોકાણકારો 'વેઇટ એન્ડ વોચ' નીતિ પર ચાલશે. જોકે વિશ્લેષકોનું માનવું હોય છે કે અમેરિકા અને ચીને જી-20 શિખર સંમેલનમાં વિકેન્ડમાં ટ્રેડ વૉર સમાપ્ત કરવાની જાહેરાત કરી છે જેથી બજારમાં ખૂબ તેજી જોવા મળી શકે છે. આ ઉપરાંત મોનસૂનની પ્રગતિ, રૂપિયા અને ક્રૂડ ઓઇલમાં ઉતાર-ચઢાવ પર બજારની નજર રહેશે. 

સૈમકો સિક્યોરિટી એન્ડ સ્ટોકનોટના સંસ્થાપક તથા ચીફ એક્ઝિક્યુટિવ જિમીત મોદીએ કહ્યું કે 'ચૂંટણીના પરિણામો વધુ ભાવનાત્મક આયોજન હતું જ્યારે બજેટ બજારની દ્વષ્ટિથી વધુ તાર્કિક કારણ હશે. બજેટ પહેલાંની સુસ્તી તૂફાન પહેલાંની શાંતિ હોઇ શકે છે અને બજાર સ્થિર રહેશે પરંતુ તેની નીચેની તરફ જવાનું દબાણ રહેશે.' તેમણે કહ્યું કે વાહન ક્ષેત્ર દબાણમાં છે. સરકાર ક્ષેત્રને કેવી રીતે સમર્થન આપે છે, આ વાત પર નિર્ભર કરશે કે આ કંપનીઓના શેર વધશે અથવા તૂટશે. 

બેંકમાં ખાતું છે? તો તૈયાર થઈ જાઓ 1 જુલાઈથી આવી રહેલા આ  બદલાવ માટે

એપિક રિસર્ચના સીઇઓ મુસ્તફા નદીમે કહ્યું 'આપણી સમક્ષ ઘણા મહત્વપૂર્ણ આયોજન બજેટ છે. આ વાતની સંભાવના છે કે બજારમાં ઉતાર-ચઢાવ રહેશે અને ટૂંકા સમયગાળામાં આ વધુ પ્રભાવિત કરશે. જોકે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે એટલા માટે અમારું માનવું છે કે આપણને હાલ તેનાથી આવનાર પરિણામોની રાહ જોવી જોઇએ.' ઉત્પાદન અને સેવા ક્ષેત્રોના પીએમઆઇ આંકડા આ અઠવાડિયે આવવાના છે. 

યસ સિક્યુરિટીઝના અધ્યક્ષ તથા રિસર્ચ હેડ અમર અંબાણીએ કહ્યું કે બજેટથી સરકારની મહેસૂલ રૂપરેખા નક્કી કરશે. તેમણે કહ્યું કે અમને આશા છે કે સરકાર પૂર્વ બજેટના અનુરૂપ રાજકોષીય મોરચા પર ગોટાળાને યોગ્ય સ્તર પર યથાવત રાખશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More