Home> Business
Advertisement
Prev
Next

નાણામંત્રી પાસે આ બજેટમાં શું ઇચ્છે છે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની Amul

બજેટને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, દરેક ક્ષેત્રની નાણામંત્રી પાસે કંઇક ને કંઇક ડિમાંડ રહે છે. અમૂલ જોકે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની છે, તેની પણ આ બજેટ પાસે આશાઓ છે. અમૂલનો દાવો છે કે જો તેમના મુદ્દાઓ પર સરકાર વિચાર કરે છે તો દેશમાં ફરીથી શ્વેત ક્રાંતિ થઇ શકે છે.

નાણામંત્રી પાસે આ બજેટમાં શું ઇચ્છે છે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની Amul

કેતન જોશી, અમદાવાદ: બજેટને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, દરેક ક્ષેત્રની નાણામંત્રી પાસે કંઇક ને કંઇક ડિમાંડ રહે છે. અમૂલ જોકે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની છે, તેની પણ આ બજેટ પાસે આશાઓ છે. અમૂલનો દાવો છે કે જો તેમના મુદ્દાઓ પર સરકાર વિચાર કરે છે તો દેશમાં ફરીથી શ્વેત ક્રાંતિ થઇ શકે છે.

ગુજરાત ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, જે અમૂલ બ્રાંડ વડે આખા ભારતમાં દૂધનું વેચાણ કરે છે, મેનેજિંગ ડાયરેક્ટર આરએસ સોઢીના અનુસાર બજેટમાં ડેરી સેક્ટરને જોતાં કેટલાક મોટા નિર્ણયો થવા જોઇએ. તેમણે જણાવ્યું કે ઘી ઉપર 12 ટકા જીએસટી લાગે છે. ભારતમાં ઘી લક્સરી આઇટમ નથી, એટલા માટે ઘીને આ યાદીમાંથી બહાર કાઢવી જોઇએ.

જલદી કરો: હજુ સુધી સિલેક્ટ કરી નથી તમારી મનપસંદ ટીવી ચેનલ, તો આ રીતે તૈયાર કરો મંથલી પ્લાન

વિદેશથી આયાત પામ તેલ પર જો 5 ટકા જીએસટી છે. એટલા માટે ઘીને પામ ઓઇલની શ્રેણીમાં લાવવું જોઇએ. જો આમ કરવામાં આવે તો ખેડૂતની પ્રતિ લીટર ઘીથી આવક 3 થી 4 રૂપિયા વધી શકે છે.

ઘી અને ફ્લેવર્ડ મિલ્ક પર જીએસટીના દર ઓછા થાય
આ ઉપરાંત કોલા જેવા કોલ્ડડ્રિંક્સથી યુવાનો દૂર જાય અને દૂધ તરફ તેમનું આકર્ષણ વધે, તેના માટે હવે ફ્લેવર્ડ દૂધ ઉપર જે 12 ટકા જીએસટી લાગે છે. ફ્લેવર્ડ મિલ્કને પણ 5 ટકા શ્રેણીમાં લાવવું જોઇએ. 

WhatsApp, Instagram અને Facebook Messenger થઇ જશે એક, આ છે માર્ક જુકરબર્ગનો પ્લાન

ક્રોપ લોનની માફક મળે પશુ લોન
ડેરી ઈંફ્રા ફંડ પર જો 6.50 ટકા વ્યાજ લાગે છે, તેને ઓછું કરી દેવું જોઇએ. જે પ્રકારે 4 ટકાના દર પર કૃષિ લોન મળે છે, તે પ્રકારે દૂધ આપનાર પશુ ગાય-ભેંસની ખરીદી પર પણ ફક્ત 4 ટકાના દરે બેંક લોન મળવી જોઇએ. દેશનો પગારદાર વર્ગ નિયમિત સમયથી પોતાનો ટેક્સ ભરે છે, તેમને પણ રાહત આપવી જોઇએ.

નવા અવતારમાં આવશે મારૂતિ ALTO 800, પહેલી નજરમાં મન મોહી લેશે તેનો લુક

કેમ અમૂલની બજેટ સલાહ મહત્વપૂર્ણ છે?
અમૂલે દેશભરમાં 36 લાખ ખેડૂતોને જોડ્યા છે. નાણાકીય વર્ષ 2017-18માં અમૂલનું વાર્ષિક ટર્ન ઓવર 29,220 કરોડ રૂપિયાનો હતો, જે ગત વર્ષના મુકાબલે 8 ટકા વધુ હતું. જીસીએમએમએમએફના અનુસાર વર્ષ 2020-21માં ગ્રુપનું ટર્ન ઓવર લગભગ 50 હજાર કરોડથી વધુ થઇ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More