7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી છે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. સરકારે વેરિએબલ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ 4 જનરલ ઇંશ્યોરન્સ કંપની (General Insurance Companies) ના કર્મચારીઓ અને અધિકારીઓના વેતનમાં લગભગ 12% ના વધારાને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઇએ કે કર્મચારીઓનો વેતન વધારો ઓગસ્ટ 2017 થી મળશે. કેન્દ્રીય નાણા મંત્રાલય (Finance Ministry) એ તેના માટે એક નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપી છે.
નાણા મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
કેટલા લોકોને મળશે ફાયદો?
નાણા મંત્રાલય તરફથી જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું 'આ સુધારા વેતન 1 ઓગસ્ટથી લાગૂ છે. આ તે લોકો માટે પણ લાગૂ છે જે આ કંપનીઓની સેવામાં તે સમય હતા.
અમીરોની વિચિત્ર 'વાઇફ-સ્વૈપ' ગેમ! યુવતીએ રજૂ કરી આ ખોફનાક આપવિતી
કર્મચારીઓને મળશે 5 વર્ષનું એરિયર
સરકાર તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર, અધિકારીઓ અને કર્મચારીઓને 5 વર્ષના લેણાં ચૂકવવામાં આવશે. તેના અંતગર્ત 2022 થી આગામી સુધારેલ પગાર ચૂકવવાપાત્ર કંપની અને કંપનીના પ્રદર્શનના આધાર પર એક પરિવર્તનીય વેતનના રૂપમાં આપવામાં આવશે.
આ છે સરકારી જનરલ ઇંશ્યોરન્સ કંપની
અત્યારે જનરલ ઇંશ્યોરન્સ ક્ષેત્રમાં સરકાર તરફથી ચાર કંપનીઓ છે. તેમાં ન્યૂ ઇન્ડીયા ઇશ્યોરન્સ કંપની લિમિટેડ, યૂનાઇટેડ ઇન્ડીયા ઇશ્યોરન્સ કંપની લિમિટેડ, ધ ઓરિએન્ટલ ઇંશ્યોરન્સ કંપની લિમિટેડ અને નેશનલ ઇંશ્યોરન્સ લિમિટેડ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે