Home> Agriculture
Advertisement
Prev
Next

ના સિંચાઈ, ના ખાતર, 400 ગ્રામ બિયારણમાં 9 ક્વિન્ટલનો પાક, આ છે હાઈફાઈ લોકોનો ખોરાક

આ પાકને ઉગાડવા માટે સિંચાઈ કે ખાતરની જરૂર નથી. આ ખેતી ખૂબ જ ઓછા સમયમાં કરવામાં આવે છે. રાગી એક નાનું જાડુ અનાજ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ના સિંચાઈ, ના ખાતર, 400 ગ્રામ બિયારણમાં 9 ક્વિન્ટલનો પાક, આ છે હાઈફાઈ લોકોનો ખોરાક

નવી દિલ્લીઃ આયુર્વેદમાં માત્ર ચણા જ નહીં, એવી ઘણી વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. રાગી એટલે જાડા ધાન્યનો એક પ્રકાર છે. કેલ્શિયમ, વિટામીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ જેવા તમામ જરૂરી પોષક તત્વોથી ભરપૂર રાગીને બજરી, ફિંગર કે નચની તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂમિ વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગના વડા પ્રો. અશોક કુમાર સિંહનું કહેવું છે કે આ નાના દાણાની રાગી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટી ફાઈવ સ્ટાર હોટલોમાં રાગીની રાબ બનાવીને વેચાણ થાય છે. તેની ખેતી કરવી ખૂબ જ સરળ છે. રાગીનો પાક ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ પાકમાં કોઈ ખર્ચ નથી, માત્ર ખેડાણ, વાવણી અને કાપણી.

એક તરફ આખો દેશ મિલેટ વર્ષની ઉજવણી કરી રહ્યો છે તો બીજી તરફ બલિયા જિલ્લામાં ભૂમિ વિજ્ઞાન અને કૃષિ રસાયણ વિભાગની ટીમે એવું સંશોધન કર્યું છે કે ખેડૂતોમાં નવી આશાનું કિરણ જાગ્યું છે. રાગી એ એક જાડું ધાન્ય અનાજ છે જે શરીરના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેની ખેતી કરવામાં પણ ખૂબ જ સરળ છે. તે કોઈ કામની ન હોય તેવી જમીન પર પણ ઉગી શકે છે.

રાગીની ખેતી ખૂબ જ સરળ છે. એક વીઘામાં ખેતી માટે 400 ગ્રામ બીજ પૂરતું છે. 400 ગ્રામ બીજમાંથી લગભગ 8થી 10 ક્વિન્ટલ રાગીનું ઉત્પાદન કરી શકાય છે. તેના બીજ આછા ભૂરા રંગના હોય છે. તે રાગી ખીર નામથી મોટી હોટલોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમાં અનેક ઔષધીય ગુણો પણ છે. ઘઉં અને ચોખાની સરખામણીમાં તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની ખેતીમાં કોઈ ખર્ચ નથી, કોઈ રોગ આવતો ન હોવાથી કોઈ દવા કે ખાતરની પણ જરૂર પડતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More